Skip to main content

હા, અમે તો બહુ સુધરેલા!


" નવરાત્રી માં હું તો ૯ દિવસ ઉપવાસ કરું એકદમ શ્રદ્ધાપૂર્વક અને માતાજી નું મારા પર એટલું બધું સત્ ને કે નવરાત્રી માં તો માતાજી મારા શરીર માં આવે જ!" !!!!
-- એક માણસ ગાંડા ની જેમ ધ્રુજે , બુમો પડે, આંખો કાઢે , જાતજાત ની ફરમાયીશ કરે, બધા એને પગે લાગે, અને આશીર્વાદ લે! - અને કહે મને માતાજી આવ્યા છે!!!
અઆહ... માતાજી તો જાણે બહુ free તે નવરાત્રી માં બધા ના શરીરો માં ફરવા નીકળે?


"હું તો ગયા વર્ષે એટલી બીમાર ગયી... કોઈ દવા અસર જ ના કરે... બધા ડોક્ટર ને બતાયું, પણ કોઈ ફર્ક ની.. પછી મને કોઈએ પેલા XXX/YYY બાબા/માતાજી/ભુવા/ ઓઝા નું કહ્યું .. હું અમને મળી... એમને મને તરત કહ્યું કે, તમને તો ફલાણા એ મૂઠ મારી છે.. તમારા પર કાળું જાદુ કરાવ્યું છે.. જો તમે એને ની તોડવો તો ૧ વર્ષ માં તમે બરબાદ થઇ જાસો! ... મેં એમણે કીધેલી વિધિ કરાવી, ખાલી ૧૦,૦૦૦ રૂપિયા થયા પણ આ જુઓ હું ચાલતી ફરતી થઇ ગઈ!"
-- હદ છે આ તો... કોઈ તમારી જાણ બહાર તમારા શરીર ને control કરે, તમરી system માં problem કરે... એ પણ scientifically નહિ! માત્ર ધૂણી ને, થોડા આડા-અવળા મંત્રો ફૂંકી ને કોઈને બરબાદ કરતુ હોય તો આપડે ૫૦-૬૦ વર્ષો થી પાકિસ્તાન સાથે ખોટી લડાઈ ઓ કરીએ છે... ૧૦-૧૨ ભુવા/ઓઝા ઓ ની ફોજ બેસાડી પાકિસ્તાન પર મુંઠ મારવો, એટલે કામ પત્યું!!! શું કો છો??


"તમે બૌ વિજ્ઞાન વાળા તે અમારું કહ્યું ના માનો... હું કહું છું ને તમારા જ ઘરના કોઈએ તમારા પર બંધન કર્યું છે.. લગન ના ૫ વર્ષ થયા અને હજુ ઘરમાં પગલી નો પડનારો નથી... તે બીજું કઈ ની , કોઈએ કુખબંધન કર્યું લાગે છે! દવા લેવાથી ના માટે.. આ તો તોડાવવું પડે.. વિધિ કરાવી, અમાસ ની વિધિ! "
-- હે ભગવાન... મને લાગે છે આ લોકો gynecologist doctors નો ધંધો બંધ કરાવી ને જ રહેશે ... જો સંતાન ના થાય તો બાબા/ ઓઝા ની વિધિ કરવો કુખબંધન તોડાવવા ! ઓહહ હવે આમને કોણ સમજાવે કે સંતાન થાય એ માટે ની આદમ-ઈવ ના જમાનાથી એક જ રીત છે , અને એ કરવા ભુવા/ ઓઝા પાસે ના જવાય ભૈલા, નહિ તો સંતાન પણ મંત્ર બોલતું જ પેદા થાય! [ટૂંક માં જેવું મેળવણ હોય આવું જ દહીં બને... તો ધ્યાન રાખવું!]


"અમને તો એક પછી એક બાધા આવે જ રાખે છે ! એક સંધે ત્યાં તેર તૂટે ... જ્યોતિષ ને બતાવ્યું.. કહે છે પિતૃ દોષ છે.. હવે ચાણોદ વિધિ કરવા જવાનું છે... આખા કુટુંબ ને ભેગું જવાનું છે.. આ વિધિ પતે તો ઘર માં કઈ શાંતિ થાય!"
-- અલા... તને પિતૃ ના નડે... તું પિતૃ ઓ ને નડે છે! ઉપર પણ તું જેમને નડેલો એ બધા તારો બદલો તારા ડોહા/ડોહી પાસે લે છે.. એમણે પુત્ર-દોષ ની વિધિ કરાવી?? પણ આ વિધિ કરવા માં એક સારો પોઈન્ટ એ છે કે ભલે પિતૃ ઓ ની છેલી ઘડી એ એમનું મોઢું જોવા કે ગંગા જળ પીવડાવા આખું કુટુંબ નવરું ના પડ્યું હોય... વિધિ કરાવવા તો બધા જ ભેગા થાય... ખબર હોય , આખી જિંદગી ડોહા-ડોહી ને બૌ વિતાડ્યા એટલે જો વિધિ થી પતતું હોય તો ખોટું નથી! લો બોલો!

"આ ટીકુ ના લગન માંથી પાછી આવી ત્યારથી તબિયત સારી જ નથી રહેતી... તમારા ભાઈ ને કેટલી વાર કીધું શનેશ્વર જઈ આવીએ ને ત્યાનો કાળો દોરો બનાવી લાવીએ મારા માટે... મને તો ઝટ દેતા નજર લાગી જાય... બેન શું કહું? મીઠી નજર પણ લાગે અને તમારા ભાઈ તો કહે હું બિલકુલ કંગના રાનાવત જેવી લાગુ છું! "
-- હા, તમે કંગના જેવા લાગો પણ તમારા એ મન માં બોલ્યા હશે કે "રાઝ-૨ - the mystery continues " વાળી એટલે કે ભૂત જેવી! અને તમને મીઠી /તીખી/ખાતી/મોદી કોઈ નજર ના લાગે... [નજર લાગવા માં પણ સ્વાદ હોય! ] ... મને એમ ની સમજાતું કે કોઈની નજર આંખ માં થી નીકળી ને બીજા ને જઈ ને કેવી રીતે લાગે?? પેલું cartoon માં બતાવે એમ આંખો માં spring હોય કે તે કઈ સારું જોયી ને બહાર આવી જાય??

.............આ તો માત્ર થોડા ઉદાહરણ છે ! આવા ઘણા બધા લોકો , પ્રસંગો રોજ-બરોજ આપડી સાથે આપડી આજુ-બાજુ બનતા રહે છે!

પણ શું આપડે એ શ્રદ્ધા / અંધશ્રદ્ધા ને દુર કરવા પ્રયાસ કરી એ છે?

ના, આપડે ભણેલા , શિક્ષિત, so called civilized લોકો બીજા ના ફટામાં ટાંગ નથી અડાવતા, આ લોકો માં તો આવું બધું જ માને અને કરે.. આપડે એમાં શું? - આવું વિચારીએ... ... અને માત્ર હસી ને , અવગણી ને ભૂલી જઈએ છે... અને આશા રાખી એ છે કે સમાજ બદલાય... લોકો સુધરે.. વૈજ્ઞાનિક દ્રષ્ટિ થી વિચારે..

પણ આ દ્રષ્ટિકોણ બદલશે કોણ? શરૂઆત કોણ કરશે?

Comments

Vishal Kansagra said…
ઓહહ હવે આમને કોણ સમજાવે કે સંતાન થાય એ માટે ની આદમ-ઈવ ના જમાનાથી એક જ રીત છે , અને એ કરવા ભુવા/ ઓઝા પાસે ના જવાય ભૈલા, નહિ તો સંતાન પણ મંત્ર બોલતું જ પેદા થાય! [ટૂંક માં જેવું મેળવણ હોય આવું જ દહીં બને... તો ધ્યાન રાખવું!]

That was funny as hell. :D
Minal said…
Ekdam baraabar kahyu.
But i think sm ppl. don't even want to change after we give scientific explanation to them.
Problem occurs when smbdy make force to follow superstitious things to other ppl.
" mataji free nathi ke badha naa sharir maa aave" even i used to say this :D Funny though, but we can't change ppl. unless they want to change. :)
Hemang said…
It takes long time to chane thinking of society. Lareg & sucessful attempts are being done. One of such is at "Miradatar" mosque nr Unjha. Govt started "Dava & Duva" project 2 yrs ago. Now all "Munjavars" (Faith healers) send mentally ill patients to clinic nr dargah where scientific treatment is given.

Funniest thing I ever came across in my career as a Psychiatrist was when a patient handed me a chit by a "Bhuva", saying " Aanu bhoot kadhi kadhyu chhe, have teni dava karsho !!" (This was in1984 )

But yes you are right, people are more attrected / exploited by such gimmics & WE all must act in unity.
Dumb Eagle said…
Lol!!! hilarious... :D
krunalc said…
http://tinyurl.com/n5tkhw
ma'am as usual... too good...
really very well written... especially that part "10-12 bhua o ni fauj ne border par besadi daie"

lovely...!!

Popular posts from this blog

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ. આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે. અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિ...

Vidyanagar revealed : few snaps, many memories.....

BIRLA VISHVAKARMA MAHAVIDYALAYA   A PREMIER INSTITUTION OF  CVM FOUNDED IN  1948 Motto:  Work is Worship First Approved by Government as grant paid College More than  16000  engineers Graduated. Degrees offered –  B.E. ,  M.E.  and  PhD C-Cube....  A cyber cafe , a cafe , where one can enjoy his/her space as well as the food with friends!  A place i love the most!  the day when i had seen a new building of hotel in place of it, i remember , i had cried like have lost some one very dear! Ajay book stall :: A small store of books in 1999, is now a real big super book stall, where you can find any technical or non-technical book!  Its situated at nana bazar! Bhaikaka Library::  Almost all students have enjoyed reading in this huge library!  Nasta house ! jay yogeshwar nasta house!  chai/c...

લાઈફ સફારી-૧૧૪: : મેનેસ્ત્રુંપીડીયા- ગર્લી પ્રોબ્લેમનું કોમિક સોલ્યુશન

***  લાસ્ટ વિકમાં સૌથી વધુ ચર્ચાયેલા અને ગુગલ પર સર્ચ થયેલા ઇન્ડિયન કોણ ? જો તમારો જવાબ હશે - નરેન્દ્ર મોદી , નીતીશ કુમાર , લાલુ યાદવ , અરવિંદ કેજરીવાલ - તો બોસ - તમે કૈક મિસ છો ! બિહારની ચુંટણીની ચર્ચામાં તમે કદાચ એ ગોસીપ મિસ કરી દીધી છે - જે આમ તો એકદમ હોપલેસ અને ફાલતું ઇસ્યુ પર હતી , છતાં આખા ભારતે એના પર આઘાત - પ્રત્યાઘાત આપ્યા હતા . સોશિયલ મીડિયામાં જેણે એક બોલ્ડ ટોપિક પર ચર્ચા આરંભી દીધી હતી . હજુ ધ્યાનમાં નથી આવતું ? કલુ આપીયે ? આપણે અહી વાત કરી રહ્યા છે બોગ બોસ -8 ના એક ચર્ચાસ્પદ સ્પર્ધક અને બોલીવુડની એક ગુજ્જુ અભિનેત્રી વચ્ચે છેડાયેલા જંગની કે જેને લોહીયાળ રંગ લીધો ! નાં , આપને કોઈ બોલીવુડીયા ગોસીપ નથી જ કરવી . પણ આ વાક - યુદ્ધનાં છેડે રહેલા એક ગંભીર પ્રશ્ન પર વાત કરવાની છે . તો આ સામાજિક પ્રશ્ન સુધી પહોંચવા જાણીએ આ હાઈ - પ્રોફાઈલ ચર્ચા . *** બીગ બોસ -8 માં અત્યંત ચર્ચાસ્પદ રહેલા સ્પર્ધક કુશલ ટંડને સ...