Skip to main content

Posts

Showing posts with the label એડોપ્શન

લાઈફ સફારી~૮૫: એડોપ્શન એટલે પ્રેમ, લાગણીઓ અને ખુશીઓને દત્તક લેવું!

બાળકને “એડોપ્ટ કરવું” અર્થાત “દત્તક લેવું”- શું વિચારો છે તમારા એ વિષે? બે એકદમ વિરોધાભાસી વિચારધારાઓ-પક્ષ/પ્રતિપક્ષ સંકળાયેલા છે આ પ્રશ્ન સાથે. એક દલીલ સામાજિક અને કૌટુંબિક પ્રશ્નો સાથે સંકળાયેલી છે. આ દલીલ અનુસાર બાળકના જન્મજાત ગુણો અને માં-બાપમાંથી આવતા આનુવાંશિક લક્ષણો આ-જીન્દગીના પાલન-પોષણ બાદ પણ બદલાતા નથી! એક બાળકને કાયદાકીય રીતે તમે કુટુંબનો ભાગ બનાવી જ શકો છો પરંતુ વહેલા-મોડા હકીકત જાણી જતું એ બાળક ક્યારેય દિલથી પરિવારનો ભાગ નથી જ બનતું. અંતે તો બિચારું બાળક જ ઈર્ષ્યા, સરખામણી, મહેણાં વિગેરેનો ભોગ બને છે અને દુખી થાય છે! બીજી તદ્દન વિપરીત દલીલ અનુસાર એક બાળકને દત્તક લેવું એ પુણ્યનું કામ છે. એક નિરાધાર-અનાથ બાળકની ઝિન્દગી ફરી પાટે ચઢાવવું એટલે એ બાળક માટે દેવદુત-ફરિશ્તા કે ભગવાન બનવું. જો નાણાકીય સામર્થ્ય હોય અને પરિવારની મંજૂરી હોય તો બાળકને દત્તક લઈને એક ભલાઈનું કામ જરૂર કરવું જોઈએ. સુષ્મિતા સેન, રવિના ટંડન, કુનાલ કોહલી, નિખીલ અડવાની, સુભાષ ઘાઈ, સલીમ ખાન- જેવી કેટલીયે ભારતીય સેલીબ્રીટીઝ બાળકને દત્તક લઈને માનવતાનો દાખલો બેસાડી ચુકી છે. મારો પ્રશ્ન અહી આ બંને એક્સ...