Skip to main content

તમે કરી શકો છો આ "સત્ય [ઝેર ] ના પારખા ?" ????


"સત્ય નો સામનો !"
ના, આજે હું આપડા માનનીય નેતા ઓ ની જેમ આ નવા ગેમ શો ની કુથલી નથી કરવાની, કે ના તો હું એ શો માં જુદા જુદા સ્પર્ધકો ને પુછેલા પ્રશ્ન કે જવાબ ની વાત કરવાની !

આજે સવારે મેં અભિયાન માં મારા પ્રિય લેખક શ્રી જય વસાવડા નો લેખ વાંચ્યો...આ જ વિષય પર॥ અને મને જે વિચાર આવ્યા તે જ હું આજે અહી લખીશ..

જયસર એમના ખુબજ સરળ ભાષા માં લખેલા લેખ માં આપડા બધા ને એક જ પ્રશ્ન કરે છે કે "શું આપડે આપડા સત્ય નો સામનો કરી શકીએ છે? અને હા , તો શું એને સૌ ની સામે સ્વીકારીએ છે? અને સ્વીકારીએ તો શું પૂરેપૂરું સ્વીકારીએ છે?"

વાંચતા વાંચતા મને હસવું આવી ગયું ...અત્યારે બધે જ આ ટીવી શો "સચ કા સામના " ની જ ચર્ચા ચાલે છે? આપડે એ ચર્ચા નથી કરવી... પણ વિચાર માત્ર એટલો આવે છે કે આટલો ઉહાપોહ કેમ? શો માં પુછાતા બધા પ્રશ્નો અને એના જવાબ જેવા જ પ્રસંગો આપડે આપડી આજુ-બાજુ જોઈ એ છે ! હા એ બધું છાનું માનું ચાલે છે!

બીજા ના વિચાર મૂકી હું મારા વિષે વિચારું છું !
શું હું સત્ય નો સામનો કરી શકુ છું ? --- "હા "
શું હું બધા ની સામે સંપૂર્ણ સત્ય નો સામનો કરી શકુ છું ? મારો જવાબ છે -- "ના "

જાત સામે સત્ય બોલવું સરળ અને બિનહાનિકારક છે, જયારે સૌ ની સામે સત્ય બોલવું ઝેર ના પારખા કરવા સમાન અઘરું છે!

જવાબ સાંભળી ને મારા વિષે કોઈ પુર્વર્ગ્રહ કે ધારણા ના બાંધી લેશો... મારા જવાબ પાછળ નું કારણ જણાવું...

મારા વિષે નું બધું સત્ય હું બૌ જ સારી રીતે જાણું છું.. અને જાત સામે એનો સ્વીકાર પણ કરું છું ! સંપૂર્ણપણે...
પણ કેટલુંક સત્ય અંગત હોય છે! જે જાત પુરતો જાણવા નો અને ખાનગી રાખવાનો આપડ ને અધિકાર છે ! જો આપડું સત્ય બીજાની અને ખાસ કરી ને આપડા વ્હાલા ઓ ની , મુશ્કેલી ઓ વધારે તો એને આપડા પુરતું સીમિત રાખવું જ સારું! જો તમે એ સત્ય ને છુપાવી ને પણ તમારા સંબંધો માં પ્રમાણિક રહી શકો છો અને તમારી જવાબદારી ઓ પ્રમાણિક પણે નિભાવી શકો છો તો મને નથી લાગતું કે એ સત્ય ને છુપાવવું એ કોઈ અપરાધ છે!

મારી પોતાની એક private space છે... જ્યાં મારા સિવાય બીજા કોઈને entry allowed નથી ॥ હું મારી જાતને , મારા સંબંધો ને ,મારી જવાબદારી ઓ ને પ્રમાણિક છું છતાં જે "સત્ય ના પારખા " ની વાત છે- સમાજ ની સામે એ મારા માટે શક્ય નથી , અને મને પણ મંજુર નથી!

" heart heas its own reasons and truth that Head can never understand!" - "દિલ ને તેના પોતાના બહાના અને પોતાનું આગવું સત્ય હોય છે જે આપડું દિમાગ ક્યારેય સમજી નથી શકતું!"
શું કહો છો???

તમે કરી શકો છો આ "સત્ય [ઝેર ] ના પારખા ?" ????

Comments

Minal said…
Totally agreed with u!! But still i can do " Satya naa parkha " {If that polygraph machine reveals totally true results.}Btw its hard to reveal urself in front of whole world with strangers.
મારુ સત્ય... મારુ અસત્ય.... મારુ પોતાનુ છે તેની જવાબદારી મારી છે. મારે કેટલુ લોકોને જણાવવુ અને કેટલુ ના જણાવવુ તે મારો હક છે.
મારુ આટલુ જ સત્ય છે. હું જે કહુ છુ તે સત્ય છે પણ કદાચ તે પુર્ણ સત્ય ના પણ હોય.
Rajni Agravat said…
આ "સચ કા સામના -ટૉપિક" વિશે છાપા કોમ્યુમાં પણ સારો એવો હોબાળો મચ્યો હતો જેમાં જય વસાવડાએ સારી (?) પોસ્ટસ કરી હતી એ વાંચ્યુ હતું?
Anonymous said…
Totally agree with u.
આજથી થોડા વખત પહેલા ઓરકુટ માં છાપા કોમ્યુનિટીમાં આજ ટોપીક પર ચર્ચા થઇ હતી.
જેમાં મે કહ્યુ હતુ કે "આપણુ સત્ય આપણા સુધી સીમિત રહી શકે છે" પણ મહાશય જય વસાવડા ને આ વાત યોગ્ય ના લાગી. અને એમણે ખાસ્સી ટીપ્પણી કરી. આ આપને એટલે નથી જણાવતી કે આપ જય વસાવડાના પ્રશંસક છો, બસ એ માટે કે હું આપના વિચાર સાથે સહમત છું, બલ્કે આવુ જ વિચારુ છું.