Skip to main content

Posts

લાઈફ સફારી~૯૨: તમે કેન્ડીક્રશ સિવાય કંઇક રમો છો કે?

***  “આજકાલના છોકરાઓ સહેજ પણ સંભાળતા નથી. એમને કઈ પણ સલાહ આપો એટલે ભેંસ આગળ ભાગવત જેવું છે! ડોરેમોન-છોટા ભીમ-શીનચેન અને બીજા ફાલતું કાર્ટુન જોઈ જોઈને જ એમના મગજ સાવ બગડી ગયા છે!” “એકદમ સાચી વાત. ક્યા આજના બાળકો અને ક્યાં આપણા જમાનાના બાળકો! ધીરજ, સહન શક્તિ, ટીમ સ્પીરીટ જેવી ભાવનાઓ તો આજની પેઢીમાં છે જ નહિ!”  “બિલકુલ સાચું! બીજાને શું કહું, મારી ટેણી પણ આખો દિવસ ટેબ્લેટ પર કેન્ડીક્રશ રમ્યા કરે છે. આટલી નાની ઉમરે કેટલા મોટા જાડા કાચના ચશ્માં આવી ગયા છે તો પણ સુધરતી નથી! હું તો થાકી એના પર બુમો પાડીને!” “મારે ઘેર બી ડીટ્ટો આજ સીન છે! પણ આપણે તો હવે કહેવાનું છોડી જ દીધું છે! અમારા એ જ આખો દિવસ ફેસબુક-વોટ્સએપ ને ગેમ્સ ટીચે રાખે છે તો છોકરાઓ તો કરવાના જ ને! આપ સુધરો તો જગ સુધરે!” તમે સ્કુલ પીકનીકમાં ગયેલી દીકરીને લેવા આવ્યા છો. પીકનીક પર ગયેલી સ્કૂલબસ નિયત સમય કરતા સહેજ મોડી આવવાની હોવાથી વાલીઓ નવરાશમાં પોતાના સુખ-દુખના ગામ ગપાટા મારી રહ્યા છે. અને તમે રસપૂર્વક એમના અનુભવો સાંભળી રહ્યા છો. અને તમને આજે સવારે જ પતિદેવ સાથે થયેલો સંવાદ અચાનક યાદ આવી જાય છે. *** “તુ...

લાઈફ સફારી~૯૧:એક પહેલ બદલાવ તરફ

*** “આજે શનિવાર છે, શનિવાર ચીકણો વાર કહેવાય એટલે માથામાં તેલ ના નખાય!” {કેમ શનિવારે તેલ નાખો તો ક્યાંથી લપસી જવાય? શું લોજીક છે આ મનાઈ પાછળ?} “શનિવાર હનુમાનદાદાનો વાર કહેવાય એટલે શનિવારે વાળ નાં કપાવાય!” {લે, હનુમાનદાદાને હજામલોકો સાથે શનિવારે કઈ બબાલ થયેલી કે? આઈ મીન વૈજ્ઞાનિક રીતે આ પ્રતિબંધ પાછળ કોઈ કારણ ખરું?} “સંધ્યાટાણે નખ નાં કપાય.- કેટલી વાર કહેવાનું?” {અચ્છા, સંધ્યાટાણે નખ કાપીએ તો અંધારામાં ભૂલમાં આંગળી કાપી જાય એટલે? કારણ શું છે બોસ?} “સોમવાર શંકરભગવાનનો વાર કહેવાય, સોમવારે નોનવેજ ના ખવાય હો!” {એટલે બીજા બધા ભગવાનના દિવસોમાં નોન-વેજ ચાલે? ખોરાક ઋતુ-સ્વાસ્થ્ય અનુસાર લેવો જોઈએ કે કેલેન્ડરમાં બતાવેલા વાર અને ભગવાનની સૂચનાઓ પ્રમાણે?} “પીરીઅડ્સમાં હોવ એટલા દિવસ મંદિરને અડવાનું નહિ. પાપ લાગે.” {કેમ પાંચ દિવસ માટે એવા કયા ભૂત-પ્રેત કાયા-પ્રવેશ કરી લે છે કે મંદિરને અડાય પણ નહિ? પાંચ-સાત દિવસના માસિકસ્ત્રાવ સમય દરમ્યાન સ્ત્રીઓ નવા જીવને સર્જન આપવાની પોતાની શારીરક ક્ષમતાને વધુ સક્ષમ/સબળ કરે છે- શું એ ગુનો છે?} “હનુમાનદાદાના મંદિરમાં સ્ત્રીઓથી ના જ...

લાઈફ સફારી~૯૦: સપનાઓ-અભિવ્યક્તિઓ “બેન” છે!

*** “ન્યુ યર રીઝોલ્યુશન”- એટલે દર વર્ષે ૩૧ ડીસેમ્બરની મોડી રાત્રે પોતાની જાત સાથે ગુફતેગુ કરીને તમે નવા વર્ષને આવકારતા એક હુંફાળું કમીટમેન્ટ આપો છો. અને પછી તમારા લાઈબ્રેરી-રૂમની તમારી ગમતી બ્લેકવોલ પરએ “ન્યુ યર રીઝોલ્યુશન”ને રંગબેરંગી કાગળ પર ઉતારીને એટલા જ પ્રેમથી ચિપકાવી દો છો, જાણે અહી ચિપકાવેલું નસીબમાં પણ ચીપકી જ જવાનું છે! આજે પણ એક બહુ મોટ્ટું કામ પતાવ્યું હોય એવા સંતોષ સાથે તમે ગ્રીન ટીનો કપ લઈને તમારી ઇઝી ચેરમાં ગોઠવાયા છો અને સામેની દીવાલ પર લગાવેલા છેલ્લા દસ વર્ષના રીઝોલ્યુશન્સને જોઈ રહો છો. રંગબેરંગી નીયોન કલરના પેપરમાં લખેલા એ જાત સાથેના કમિટમેન્ટસ્ છે-જે કૈક તો પુરા થયા છે અને કૈક તો દસ વર્ષથી દરેક લીસ્ટમાં જાણે ફેવિકોલ લગાવીને ચોંટેલા રહ્યા છે. તમે હસી રહ્યા એ વિચારીને કે આપણે જાણ્યે અજાણ્યે પોતાના પરિવાર-બાળકો-પ્રોફેશન-સમાજમાં એટલા તો ગૂંથાઈ જઈએ છે કે પોતાની જાતને ગમતા કામ કરવા માટે એક વર્ષમાં એક દિવસ પણ નથી કાઢી શકતા! અને કૈક વિચારીને તમે દસ વર્ષથી જે અધૂરા રાખ્યા છે એ રીઝોલ્યુશનને આ વર્ષે પહેલા પુરા કરવા અલાયદુ લીસ્ટ તૈયાર કરો છો-ફ્લોરોસન્ટ યેલો પેપરમાં. અને એ ...

લાઈફ સફારી~૮૯: સપનાના વાવેતર-નિષ્ફળતાના માર્ગે સફળતાની પ્રાપ્તિ

*** સવાર, બપોર, સાંજ. આમ જ રૂટીન ચાલતું રહે છે. ક્યારેક દિલ ગાઈ ઉઠે છે- “એક અકેલા ઇસ શહેર મેં, રાત મેં યા દોપહેર મેં..” તો ક્યારેક દિલ ગણગણે છે-“યે લમ્હા ફિલહાલ જી લેને દે..” દિલ અને દિમાગ બાયોલોજીકલ અને સાયકોલોજીકલ સાયકલ પ્રમાણે ચાલતા રહે છે, છતાં અંદર કૈક અટકી ગયું હોય એમ મહેસુસ થાય છે. સવારથી ઘડિયાળની ટીક ટીક સાથે ચાલુ થતો દિવસ તો આથમી જાય છે, પણ અંદર કૈક ચાલતું રહે છે-દિવસ-રાત. હું પહેલાની જેમ જ હસું છું, ખુબ બધું બોલું છું, પરિવાર સાથે આનંદ કરું છું, જોમ અને જુસ્સાથી જોબ કરું છું, નવું શીખું છું- બધું જ સામાન્ય છે- પહેલાની જેમ જ! મહિનો, બે મહિના, ત્રણ મહિના થયા- હું જીવું છું, ખુશ પણ છું- પણ ક્યાંક અધૂરી છું. અને એ અધુરપ છે મારા શબ્દોની. એક બ્લોગર કે કોલમિસ્ટ રૂપે મેં લખેલા એક એક શબ્દને હું પૂર્ણ પણે જીવી છું. મારા કીબોર્ડથી સર્જાયેલા એક એક શબ્દ સાથે એક અજબ તાદામ્ય મેં અનુભવ્યું છે અને દરેક બ્લોગ પોસ્ટ કે આર્ટીકલને પબ્લીશ કરતા પહેલા બાળકને જન્મ આપવા જેવી લાગણી પણ અનુભવી છે. અને અચાનક, ક્યાંક કૈક ખોરવાઈ ગયું. શબ્દ-શ્વાસ રૂંધાઈ ગયા, મારા શબ્દ-બાળનાં ધબકારા જાણે ગર્ભમ...

લાઈફ સફારી~૮૮: આતંકવાદીના પુત્રની કહાની

*** ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ - માણસજાતનાં ઇતિહાસનો એવો દિવસ કે જેણે માણસાઈને લાગેલું આતંકવાદનું ગ્રહણ દુનિયાની સામે આક્રમક રીતે રજુ કર્યું . ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧નાં રોજ અલ - કાયદાના ૧૯ આત્મઘાતી આતંકીઓએ ચાર વિમાનો હાઇજેક કર્યા . જેમાંથી બે વિમાનોએ ન્યુયોર્ક સ્થિત વર્લ્ડ - ટ્રેડ - સેન્ટરના ટાવર પર આત્મઘાતી હુમલો કર્યો , એક વિમાને વોશિંગટન ડી . સી . ના પેન્ટાગોન ખાતે હુમલો કર્યો અને ચોથું વિમાન પેનીસીલ્વેનિયામાં ક્રેશ થઇ ગયું . લગભગ ૩૦૦૦ જેટલા લોકોના મૃત્યુ અને હજારો ઘાયલોની પીડાના નુકશાન સાથે લગભગ ૧૦ બિલિયન ડોલરની પ્રોપર્ટીનું પણ નુકશાન થયું . અને જાન - માલના નુકશાનથી વધુ નુકશાન માનવતા , વિશ્વાસ અને ધર્મના પાયાઓને થયું ! અચાનક આખું વિશ્વ “આતંકવાદ”ના સળગતા પ્રશ્ન સામે જાગી ઉઠ્યું ! જોકે આપણો દેશ તો વર્ષોથી આતંકનો ભોગ બનતો જ આવ્યો છે પણ આ વખતે વાત હતી સુપર - પાવર એવા અમેરિકાને આતંકથી પીડિત કરવાની ! અને એટલેજ આખા વિશ્વમાંથી આ ૯ / ૧૧ના નામે જાણીતા આતંકી હુમલાના વિરોધમાં આકરા પ્રત્યાઘાતો આવ્યા ! હમણાં જ ૧૧મી સપ્ટેમ્બરે આ ગોઝારી ઘટનાને ૧૩ વર્ષ પુરા થયા ત્યારે વિશ્વ - પરિ...

લાઈફ સફારી~૮૭: “પ” થી પીરીઅડ્સ અને પેઈન કે પોઝીટીવીટી અને પ્લેઝર?

*** “તે સામા પાંચમ કરી છે?” – પ્રશ્ન “ના.”- જવાબ “શું? તે સામા પાંચમ નથી કરી?”-પ્રતિપ્રશ્ન ૧. “તે સાચ્ચે જ સામા પાંચમ નથી કરી?”-પ્રતિ પ્રશ્ન ૨. “તે કેમ સામા પાંચમ નથી કરી?”- પ્રતિ પ્રશ્ન ૩. “!@!#!$#$#%^%(*”-જવાબ. ૩૦ ઓગસ્ટ એટલેકે શનિવારે હાલમાં જ ઋષિ પંચમી ગઈ. આપણી ધાર્મિક માન્યતાઓ પ્રમાણે આ દિવસે “સામા-પાંચમ”નું વ્રત પણ ઉજવાય છે. અને આગળ ઉપર લખેલ સંવાદ લગભગ દર વર્ષે મારી સાથે રીપીટ થાય છે. અને દર વર્ષે મને કૈક અલગ અને વિચિત્ર પ્રશ્નો થાય છે- જેનો જવાબ આખરે આ વર્ષે મારે જાતને અને મારા જેવા આવા પ્રશ્નો વિચારતા સૌને જ આપવો છે! વાત અહી કોઈની ધાર્મિક માન્યતા દુભાવવાની કે ધર્મ-રીતી-રીવાજનો વિરોધ કરવાની નથી! વાત છે માત્ર લોજીકલ-વૈજ્ઞાનિક-ધાર્મિક કારણ શોધી એની આજના સમયમાં યોગ્યતા ચકાસવાની! સૌથી પહેલા “સામા પાંચમ”ના વ્રત અંગે ગુગલદેવને પૂછ્યું તો આવો જવાબ મળ્યો-  પિરિઅડ્સ દરમિયાન – પહેલા દિવસે છોકરી ચાંડાલીની, બીજા દિવસે ડાકણ, ત્રીજા દિવસે ધોબણ સમાન છે અને ચોથા દિવસ પછી ન્હાયા અને માથું ધોયા પછી જ એ પવિત્ર થાય છે!  અને આ અપવિત્ર દિવસોમાં પરિવારમાં કોઈને અડવાથી, રસોઈ...